સોમવાર, 14 માર્ચ, 2011

Message

મિત્રો,


આ અગાઉ ચિંતનાત્મક ટૂંકા લેખો લખીને બ્લોગ પર મુક્યા છે. પરંતુ વાર્તા કે એવા કંઈ પર હાથ અજમાવ્યો નથી. અચાનક જ હમણાં એક પરિચિત ની ખબર કાઢવા જવાનું બન્યું, અને મારા મગજમાં આ વિષય અંગે એક ઝબકારો થયો. જેનું પરિણામ આજે આપ સૌ સમક્ષ મુકતાં મનમાં ચિત્ર વિચિત્ર ભાવો ઉદભવે છે. વાર્તા લખવાનો આ પ્રથમ પ્રયત્ન કેટલો સફળ(કે નિષ્ફળ ) અને સચોટ રહ્યો છે, તે તો આપ વાચકો જ કહી શકો. તો દોસ્તો, આ વાર્તા વાંચીને મને feed back તો આપશો ને ? હા! તમારું એકાદ પણ સૂચન મને ભવિષ્યમાં કંઈપણ લેખન રૂપી વાવણી કરતી વખતે ખાતરની જેમ ઉપયોગી જરૂરથી થઇ પડશે!! છેલ્લે, આ વાર્તાના નાયક "જયદીપ " પર એક શેર;

" જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી;


જિંદગી ને મોતમાં છે માત્ર ધરતી નું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી "




ટિપ્પણીઓ નથી: